કંગના રનૌતે સરકારને ફિલ્મ નિર્માતા કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવાની વિનંતી કરી છે. કંગનાએ ટ્વિટ કર્યું- તેઓએ મને ડરાવી અને મને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉદ્યોગ છોડી દેવાનું કહ્યું, સુશાંતની કારકિર્દી સાથે પણ કાવતરાં રચ્યા, તેમણે ઉરી લડત દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપ્યું અને હવે અમારી સેના વિરુદ્ધ એન્ટિનેશનલ ફિલ્મ બનાવી છે.
I request government of India to take KJO’s PadmaShri back,he openly intimidated me and asked me to leave the industry on an international platform,conspired to sabotage Sushanth’s career,he supported Pakistan during Uri battle and now antinational film against our Army. https://t.co/KEgVEDpMrF
— Kangana Ranaut (@KanganaTeam) August 18, 2020
તાજેતરમાં કંગનાએ એક કવિતા દ્વારા કરણ જોહર અને તેની ફિલ્મ ગુંજન સક્સેના પર નિશાન સાધ્યું હતું. કંગનાની સોશિયલ મીડિયા ટીમે ટ્વિટ કર્યું હતું કે, “કરણ જોહર માટે અર્જ કિયા હૈ… હમેં નેશનલિઝ્મ કી દુકાન ચલાની હૈ પર દેશભક્તિ નહીં દિખાની હૈ. પાકિસ્તાન સે વોર વાલી ફિલ્મે બહુત પૈસા કમાતી હૈ, હમેં ભી બનાએગે, લેકિન ઉસકી વિલેન ભી હિન્દુસ્તાની હૈ. અબ થર્ડ જેન્ડર ભી આ ગયા આર્મી મેં લેકિન કરણ જોહર ટૂ કબ સમજેગા એક સેનાની સિર્ફ સેનાની હૈ.
All n all GS remains a petty film missing the larger picture and essence of a soldier’s life, proving her opponents right who said we are here to protect Bharat Mata but you are here for equal opportunity, that’s pretty much sums up the film in the end Gunjan wins not India.SAD !
— Kangana Ranaut (@KanganaTeam) August 15, 2020
આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ સુસાઇડ કેસને લઈને કંગના અવારનવાર નિવેદનો આપી રહી છે. આ પહેલા મહેશ ભટ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં તેને ફિલ્મ ગુંજન સક્સેના ને લઈને ટ્વીટ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન