એક તરફ ગુજરાત રાજ્ય કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન કારણે પાન-મસાલા જેવા ગુટકાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે કચ્છના આદિપુરમાં તમાકુ ખાવાની નજીવી બાબતે યુવાનની હત્યાકરવામાં આવી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર કચ્છના આદિપુરમાં તમાકુ ખાવાની નજીવી બાબતે 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે આ મામલે પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં તમાકુ વેચાણ પર પ્રતિબંધ આવતા વ્યસનીઓ બેબાકળા બની ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.