કોરોનાનો કહેર દિવસે ને દિવસે દેશ અને ગુજરાતમાં વધી રહ્યો છે અને તે સ્પષ્ટ દેખાતી અને સરકારી આંકડાઓ દ્વારા પણ પુષ્ટ થતી વાત છે. દેશ અને રાજ્યમાં અનેક જગ્યાએ લોકડાઉન પાછુ ફરી રહ્યાની પણ વિગતો સામે આવી રહી છે. ખાસ વાત કરવામાં આવે ગુજરાતની તો રાજ્યમાં કોરોનાનો ફેલાવો છેક અંતરીયાળ પ્રદેશો સુધી પહોંચી ચૂક્યો છે. તમામ હકીકતો વચ્ચે પણ લોકો બીનદાસ્ત અને બેજવાબદાર રીતે વર્તતા જોવામાં આવી રહ્યા છે અને કદાચ માટે જ કોરોના કહેર ઠાલવી રહ્યો છે.
આજે ફરી એક વખત સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમા કોરોનાનો હાહાકાર જોવામાં આવ્યો છે. જી હા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં કારણે મોતનો સિલસિલો યથાવત્ નોંધવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આજે વધુ 5 દર્દીનાં કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 4 કોરોના પોઝિટિવ દર્દીનાં નીપજ્યા મોત હતા. ત્યારે આજે 5 મરણજનાર લોકોમાં બે મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે. સામે આવતી વિગતો પ્રમાણે મરણજનાર લોકો રાજકોટ, ગોંડલ, ધોરાજી, ચુડા અને મોરબીના દર્દીઓ હેવાની અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આર્થે દાખલ કરાયા હોવાની વિગતો વિદિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….