Not Set/ કૃષિ કાયદો અન્નદાતાઓ માટે મોતનો ફરમાન, ભારતમાં ખતમ થઇ ગયુ છે લોકતંત્ર : રાહુલ ગાંધી

  સંસદમાં પસાર કરાયેલા ત્રણેય કૃષિ બિલ પર રાષ્ટ્રપતિની સહી થયા બાદ હવે આ કાયદો દેશમાં લાગુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ખેડૂતોનું આંદોલન ધીરે ધીરે તીવ્ર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઇને સોમવારે ફરી સરકાર પર નિશાન સાધ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે સંસદમાં અને […]

Uncategorized
 

સંસદમાં પસાર કરાયેલા ત્રણેય કૃષિ બિલ પર રાષ્ટ્રપતિની સહી થયા બાદ હવે આ કાયદો દેશમાં લાગુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ખેડૂતોનું આંદોલન ધીરે ધીરે તીવ્ર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઇને સોમવારે ફરી સરકાર પર નિશાન સાધ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે સંસદમાં અને બહાર બંને જગ્યાએ ખેડૂતોનો અવાજ દબાવવામાં આવ્યો છે.

તેમણે રાજ્યસભામાં ટ્વીટ કરીને આ બિલ પસાર થવા દરમિયાન થયેલા હંગામાથી જોડાયેલા સમાચારોને શેર કરતાં કહ્યું, “કૃષિ કાયદો આપણા ખેડૂતો માટે મૃત્યુનાં હુકમનામા જેવો છે. તેમનો અવાજ સંસદમાં અને બહાર બંને જગ્યાએ દબાવવામાં આવ્યો છે. અહીં પુરાવો છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઇ છે.” કોંગ્રેસ નેતા દ્વારા ટાંકવામાં આવેલા ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું હતું કે, ગૃહમાં કૃષિ સંબંધિત બિલો પર મતદાનની માંગણી વખતે વિપક્ષી સભ્યો તેમની બેઠકો પર નહોતા, પરંતુ રાજ્યસભા ટીવીનાં ફૂટેજથી તેનાથી વિપરીત વાત સાબિત થઈ રહી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં પૂરા થયેલા ચોમાસા સત્રમાં સંસદે કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ -2020 અને ખેડૂતોને (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પર કરાર બિલ -2020 ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આ બિલોને મંજૂરી આપ્યા બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.