બેંગ્લુરુઃ કર્ણાટકા ભાજપના અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે, હાલમાં જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપાનાર વરિષ્ઠ નેતા એસ. એમ. કૃષ્ણા ભાજપમાં જોડાશે. તેમણે કહ્યું હતું કે, તે ભાજપમાં ક્યારે આવશે તે અંગેની જાણ નથી. પરંતું 100 ટકા તે ભાજબમાં જોડાવવા જઇ રહ્યા છે.
યેદિયુરપ્પા આ દાવા પર કૉંગ્રેસ નેતા ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, બની શકે છે કે, એસ.એમ,કૃષ્ણ કોઇ વાતને લઇને દુખી થયા હોય પણ તે એટલા અપરિપક્વ નથી કે,ભાજપમાં જોડાય. યેદિયુરપ્પા ખોટુ બોલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ અને પૂર્વ વિદેશ મંત્રી કૃષ્ણા ગયા સપ્તાહે કૉંગ્રેસ સાથે છેડો ફાળી નાખ્યો હતો. તેઓ 46 વર્ષની કૉંગ્રસમાં હતા.
રાજીનામાં બાદ 84 વર્ષિય કૃષ્ણાએ જણઆવ્યુંહ હતું કે, તે સક્રિય રાજકારણમાંથી રાજીનામું નથી આપી રહ્યા.