Not Set/ ગુજરાતના ચૂંટણી રણમાં 27 નવેમ્બરથી ઉતરશે મોદી, શું ફરી ચાલશે મોદી લહેર?

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર આ વખતે નબળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વેંટિલેટર પર પડેલી કોંગ્રેસમાં પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રાણ પૂરી ચૂંટણીનું બિંગલ ફૂકયુ છે, જેનાથી ભાજપ ખુબ પરેશાન છે. ભાજપને છઠ્ઠી વાર જીત અપાવવા માટેની જવાબદારી ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. ભાજપાના પક્ષમાં ચૂંટણીનું જે વાતાવરણ ઉભું થયું છે, તેને […]

Top Stories

અમદાવાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર આ વખતે નબળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વેંટિલેટર પર પડેલી કોંગ્રેસમાં પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રાણ પૂરી ચૂંટણીનું બિંગલ ફૂકયુ છે, જેનાથી ભાજપ ખુબ પરેશાન છે. ભાજપને છઠ્ઠી વાર જીત અપાવવા માટેની જવાબદારી ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. ભાજપાના પક્ષમાં ચૂંટણીનું જે વાતાવરણ ઉભું થયું છે, તેને વધુ સક્રિય બનાવવા માટે 27 નવેમ્બરે ગુજરાતના રણમાં ઉતરી રહ્યાં છે.

ગુજરાત નરેન્દ્ર મોદીનું ગઢ ગણાય છે. મોદી 13 વર્ષ સુધી રાજ્યની સત્તાના સિંહાસન પર વિરાજમાન છે. ગુજરાતના CM પદેથી જ મોદી PM બન્યાં હતાં. એવામાં મોદી અને તેમની પાર્ટી બીજેપી કોઈ પણ સૂરતમાં પોતાના ગઢને હાથોમાંથી જવા દેવા નથી માંગતા. મોદી પાંચ દિવસમાં અહીંયા 17 જનસભાઓને સંબોધિત કરશે. દરેકની નજર આ જ વાત પર છે કે મોદી પોતાના ભાષણમાં તે કયા મુદ્દા ઉઠવશે જે ગુજરાત ચૂંટણીની દશા અને દિશા બદલશે.