અમદાવાદના પાંચકુવા દરવાજા પાસેથી પસાર થઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારી પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. લૂંટારુ શખ્સોએ આંગડીયા કર્મયારીને ડરાવવા માટે તમંચા જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ચાર શખ્સ આંગડીયા પેઢીના સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટાનાને પગલે અમદાવાદ શહેર પોલીસે ચારેબાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. આંગડીયા પેઢીના કોઈ કર્મચારીએ જ લૂંટારુ ગેંગને ટીપ્સ આપી હોવાની આશંકા પણ પોલીસને સતાવી રહી છે.