Not Set/ જમ્મુ-કાશ્મીરમાં CRPF ની ટીમ પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલાનાં અહેવાલ સામે આવવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શ્રીનગરનાં નૌગામમાં સીઆરપીએફની પાર્ટીની 110 બટાલિયનો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલામાં કોઈનાં ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા નથી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરૂ દેવામાં આવ્યુ છે. Jammu and Kashmir: Terrorists attack a party […]

Uncategorized
0bfcc36cc57afea4b5b7def582ad7883 1 જમ્મુ-કાશ્મીરમાં CRPF ની ટીમ પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલાનાં અહેવાલ સામે આવવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શ્રીનગરનાં નૌગામમાં સીઆરપીએફની પાર્ટીની 110 બટાલિયનો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલામાં કોઈનાં ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા નથી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરૂ દેવામાં આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓની યોજનાઓ પર પાણી ફેરવતી રહી છે. આ પહેલા શુક્રવારે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાનાં ત્રણ શંકાસ્પદ આતંકીઓની રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ ગુરુવારે દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.