જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. અહેવાલો અનુસાર આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણ થતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન રવિવારે શ્રીનગરમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે સવારથી મુકાબલો શરૂ થયો હતો.
આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંનો એક આતંકવાદી પંડચ સુરામાં બીએસએફના 2 જવાનોની હત્યામાં સામેલ હતો. આ રીતે, સુરક્ષા દળોએ સૈનિકોના શાહદતનો બદલો પણ લીધો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેરના જુનિમાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે, સુરક્ષા દળોએ રવિવારે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો આ વિસ્તારમાં આતંકવાદીઓની શોધ કરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં 3 આત્ન્ક્વાડીઓ માર્યા ગયા છે.
મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ
અધિકારીએ જણાવ્યું કે અધિકારીઓએ શહેરમાં સાવચેતીના પગલા રૂપે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. તેમણે કહ્યું કે શહેરના મોટા ભાગના વ્યવસાયિક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ખીણમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 19 જૂન એટલે કે શુક્રવારે જ સુરક્ષા દળોએ ખીણના જુદા જુદા સ્થળોએ 8 આતંકીઓને ઠાર કાર્ય હતા. આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.