દિવાળીનાં પર્વે આપણે ઘરના આંગણામા તો દિવા પ્રગટાવીએ છીએ સાથો સાથ મનમાં પણ ઈશ્વરને પામવાની ઝંખનાનાં નો દિવો પ્રગટાવવો જેથી પ્રાપ્ત થાય મા લક્મી ની કૃપા આવો જાણીએ આ મહાપર્વ વિશે ખાસ વાતો.
ભારતીય કાલગણના અનુસાર ૧૪ મનુઓનો સમય સમાપ્ત થયો અને પ્રલય થયા પછી પુનનિર્માણ તથા સૃષ્ટિનો આરંભ દિવાળીના દિવસે થયો હતો. નવઆરંભના કારણે કારતક અમાસને કાલરાત્રિ પણ કહેવાય છે..
એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીજીનો જન્મદિવસ એટલે દિવાળી પણ કહેવાય છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી ધરતી પર આવે છે. આ રાત્રે જેની પર માતા લક્ષ્મીજીની કૃપા થાય છે તેનુ આખુ વર્ષ સુખમય જાય છે. ધન આગમન અને લાભનો સ્ત્રોત બની રહે છે. ર્દિવાળીનુ વર્ણન પ્રાચીન ગ્રંથોમા પણ જોવા મળે છે. આ પર્વને પોતાનું આગવું ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. જેના કારણે આ તહેવાર સામાન્ય તહેવાર ના રહીને સમગ્ર રાષ્ટ્રનો તહેવાર છે. અનેક ધર્મગ્રંથોમા દિવાળીનુ ઐતિહાસિક મહત્વ જોવા મળે છે. ભગવાન વિષ્ણુ રાજાબલિની દાનશીલતા જોઇને પ્રભાવિત થયા હતા અને તેમને પાતાળ લોકનુ રાજય આપ્યુ હતુ. સાથે સાથે એવુ આશ્વાસન આપ્યુ કે તમારી યાદમા ભૂલોક વાસીઓ હંમેશા દિવાળી મનાવશે. મહાપ્રતાપી અને દાનવીર રાજાએ ત્રણે લોક પર વિજય મેળવીને રાજા બલિ વરદાન પ્રાપ્ત કરીને અભિમાની અને અહંકારી બની ગયો. રાજાબલિના અત્યાચારને કારણે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાને વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલિ પાસેથી પૃથ્વી દાનમાં માંગી. મહાપ્રતાપી રાજા બલિ ભગવાનની ચાલાકી સમજી ગયા હતા તેથી તેમણે પૃથ્વીનો ત્રીજો ભાગ દાનમાં આપ્યો… ત્રેતાયુગમાં ભગવાન રામ રાવણને મારીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમના આગમનથી અયોધ્યાવાસીઓ આનંદિત થયા અને દિપ સળગાવીને તેમનુ અયોધ્યામાં સ્વાગત કર્યુ હતુ. દિવાળીનો તહેવાર એટલે ચોપડા પૂજનનો દિવસ પણ મનાય છે.. દિવાળી એટલે દિપઉત્સવ.. દીપ એ જ્ઞાનનુ પ્રતિક છે… માટે આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરી કરાય છે વૈભવ અને જ્ઞાનની કામના… દિવાળીના દિવસે માતા લક્ષ્મીનુ પૂજન કરવા માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ થાય છે તેમાં કેટલીક વસ્તુઓ લક્ષ્મીજીને વધારે પ્રિય છે. તેનો ઉપયોગ કરવાથી લક્ષ્મીમાતાની કૃપા આપણી ઉપર અવિરત પણે વરસતી રહે છે. લક્ષ્મી માતાના વસ્ત્રોમા લાલ,ગુલાબી અને પીળા રંગના વસ્ત્રો માતાજીને વધારે પ્રિય છે… માતાજીને પુષ્પમાં ગુલાબ અને કમળ વધારે પ્રિય છે. ફળમાં નારિયેળનો પ્રસાદ કરી શકાય છે. સુગંધિત વસ્તુઓમાં ગુલાબ અને ચંદન મા લક્ષ્મીને પ્રિય છે.. માને રીઝવવા ચોખાનો પ્રસાદ ધરાવવામાં આવે છે દિપ પ્રગટ કરવા માટે ગાયનુ ધી, તલનુ તેલ અને મગફળીનુ તેલ વાપરવામા આવે છે.આ રીતે લક્ષ્મીમાતાની પૂજા માટેની સામગ્રી લઇને ચોખ્ખા આસન પર બેસી પૂજા કરવી જોઇએ..
માતા લક્ષ્મીની સ્થાપનાઁ અને પૂજન બાદ ભોગ ધરાવી સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી..