નવી દિલ્હીઃ 500 અને 1000 ની નોટબંધી બાદ જનતા સતત મુશ્કેલી સહન કરી રહ્યા છે. ત્યારે સરકારને બેંકના કર્મચારીઓ દ્વારા સેટિંગ કરીને નોટો બારોબાર પધરાવી દેવાની ફરિયાદ મળી હતી. તે જોતા PM મોદીએ બેંકોનું સ્ટિંગ ઓપરેશન કરાવ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ સ્ટિંગ ઓપરેશન PM મોદીના કહેવા પર થયું હોવાની સૂત્રોએ માહિતી આપી છે.
નાણાં મંત્રાલયને વિવિધ રાષ્ટ્રીય કૃત અને ખાનગી બેંકો મળીને કુલ 500 બેંકોનું સ્ટીંગ ઓપરેશન કરાવ્યુ હોવાનું જાણાવા મળી રહ્યું છે. આ સ્ટિંગ ઓપરેશનની 400 સીડી નાણાં મંત્રાલયને મળી છે. આ સીડીમાં બેંક અધિકારી અને દલાલોનો મોટા પાયે પર્દાફાસ થાય તેવી પુરેપુરી શક્યતા છે.