દેશભરમાં 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે..ત્યારે ગુજરાતમાં પણ આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી…રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મંત્રીઓ દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી.જેમાં બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્યમંત્રી શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું…અને ત્યાર બાદ જિલ્લા યુવા ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ…આ તરફ
પછાત વર્ગ કલ્યાણ મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા ડાકોરમાં ભવન્સ કોલેજમાં જિલ્લા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી..આ દરમિયાન ભાજપના અનેક મંત્રીઓ તથા કાર્યકરો હાજર રહ્યા…તો સૌરાષ્ટ્રમાં સુત્રાપાડામાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો..જેમાં રાજ્યના જળ સંપતિ મંત્રી જશા બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું..