અમદાવાદઃ નલિયા બાળાત્કાર કેસમાં બીજેપીના કાર્યકર્તા અને નેતાનું નામ બહાર આવતા સામાજીક સંગઠન અને રાજકીય પક્ષો સક્રીય થયા છે. નલિયાના સમગ્ર મામલે કૉંગ્રેસ મૌન સેવીને બેઠો છે જેને લિને વિવિધ તર્ક વિતર્ક સેવામાં આવી રહ્યા છે. બીજે તરફ આ મામલે આમ આદમી પાર્ટી જતુ કરવાના મૂડમાં નથી જણાતી. નલિયા દૂષ્કર્મ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા વંદના પટેલે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતુ કે, આપની મહિલા મોર્ચા દ્વારા રવિવાર અક્ષરધામ ખાતેથી મુખ્યમંત્રી આવશન ઘેરાવો કરવામાં આવશે. નલિયા પિડિતા માટે ન્યાની માંગ કરવામાં આવશે. તેમજ આપે આરોપ લગાવ્યો હતો કે, પિડિતા જોડે ઉભા રહેનારને દબાવવામાં આવે છે. તેના જવાબમાં કહ્યું હતું કે, ભાજપની ધમકી ડરીશુ નહી.
બીજેપીના મહિલા મોર્ચા પર વંદના પટેલે નિશાન સાધતા જણાવ્યું હતું કે, જ્યારે નલિન કોટડીયા નિવેદન પર આનંદીબેન અને ભાજપની મહિલાઓ બહાર આવી હતી ત્યારે અત્યારે આ મહિલાઓ ક્યાં ગાયબ થઇ ગઇ છે. નલિયા બનાવ બન્યા બાદ શંકર ચૌધરી પોતાના વિસ્તારમાં નથી જઇ શક્તા પિડિતા દ્વારા એફિડેવિટ નથી નોધવામાં આવતી.
આમ આદમી પાર્ટી દ્વારા નલિયાની ઘટનાનો કડક શબ્દોમાં વખોડતા આ કેસમાં આરોપીની નાંરંગી ટેસ્ટ કરવાની માંગ કરી હતી.