અમદાવાદઃ નોટબંધીના 50 દિવસ પુરા થયા હોવા છતા લોકોની નાણાની મુશ્કેલી જોઇએ તેવી દૂર નથી થઇ. વિરોધ પક્ષ કૉંગ્રેસ તેનો દેશવ્યાપી વિરોધ કરવા માટે આયોજન કર્યું છે. રાહુલ ગાંધી નોટબંધી મુદ્દે સતત નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને એવો આરોપ લગાવી રહ્યા છે કે, મોદીએ 50 પરિવારને લાબા પહોંચાડવા માટે નોટબંધી કરીને દેશની ગરીબ જનતાને લાઇનમાં લગાવી દીધા છે.
આ મામલે યુથ કૉંગ્રેસ દ્વારા ‘ચૌરાહે પે ચર્ચા’નુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા યુથ કૉંગ્રેસ ભાજપના મેયર, ધારાસભ્યોને આવેદન પત્ર આપીને વિરોધ નોધાવશે.
કૉંગ્રેસના આ કાર્યક્રમ અનુસાર યુથ કૉંગ્રેસ વિવિધ જિલ્લામાં 16 થી 17 ધારાસભ્યોને આવેદન પત્ર આપવામાં આવશે. 18 થી 19 તારીખે કલેક્ટર અને રાજયપાલને રજૂઆત કરવામાં આવશે. 20 થી 21 સિગ્નેચર કેમ્પેન, 21 થી 25 રાજ્ય વ્યાપી દેખાવો અને 28 થી 30 દેશ વ્યાપી દેખાવનું આયોજન કરવામાં આવ્યું છે.