સોમવારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે, પરંતુ આ પહેલા લોકસભાનાં 17 સાંસદો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ સાંસદોનો ટેસ્ટ સંસદ ભવનમાં 13 અને 14 સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવ્યું હતું. આ કોરોના ચેપગ્રસ્ત સાંસદોમાં ભાજપનાં સૌથી વધુ 12 સાંસદ છે. YRS કોંગ્રેસનાં બે સાંસદ છે, એક શિવસેના, ડીએમકે અને આરએલપીનાં એક-એક સાંસદ છે.
જણાવી દઈએ કે, ચોમાસુ સત્રની શરૂઆત પહેલા, એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ સાંસદો અને કર્મચારીઓને કોવિડ ટેસ્ટ કરાવશે, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. નિયમ એ પણ છે કે તેમનો રિપોર્ટ 72 કલાક પહેલાની ન હોવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ચોમાસુ સત્રની શરૂઆત પહેલા બંને ગૃહોનાં ઘણા વૃદ્ધ સાંસદોએ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સત્રની શરૂઆતમાં, માર્ગદર્શિકા વચ્ચે પણ ઓછામાં ઓછા 2,000 લોકો કેમ્પસમાં ઉપસ્થિત રહેશે.
જો કે દેશમાં કોવિડ રોગચાળાની શરૂઆતથી લઈને ચોમાસુ સત્રની શરૂઆત પહેલા સુધી સાત કેન્દ્રીય પ્રધાનો અને બંને ગૃહોનાં આશરે બે ડઝન સાંસદોને અત્યાર સુધી કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે. ત્યા સુધી કે લોકસભામાં તમિલનાડુંનાં સાંસદ એચ વસંતકુમારની પણ કોરોનાથી મોત થઇ ચુકી છે. કોવિડ-19 વચ્ચે શરૂ થયેલુ ચોમાસુ સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, કોવિડ-19 માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ ફેસ માસ્ક અને સામાજિક અંતર ફરજિયાત બનાવવામાં આવ્યા છે. વળી ગૃહમાં દરેક સીટ પર પોલી-કાર્બન ગ્લાસ લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.