બેંગ્લુરુઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે બેંગ્લોર યૂનિવર્સિટીને માનદ ડૉક્ટરેટની ઉપાધી લેવાનો ઇન્કાર કરી દિધો હતો. દ્રવિડે એવું કહિને ના પાડી હતી કે, તે રમતના ક્ષેત્રમાં અનુસંધાન કરીને ખૂદ આ ડિગ્રી મેળવવા માંગે છે.
યૂનિવર્સિટીના કુલપતિ બી. થિમે ગૌડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “શ્રી રાહુલ દ્રવિડે માનદ ઉપાધી માટે પસંદગી કરવામાં આવતા તેમની બેંગ્લુરુ યૂનિવર્સિટી આભાર માન્યા બાદ એ સંદેશો આપ્યો હતો કે, તે માનવ ઉપાધી લેવાની જગ્યાએ રમતના ક્ષેત્રમાં અનુસંધાન કરવામાં કોઇ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય પુરુ કરીને ડૉક્ટરેટની ડિગ્રી મેળવશે.
ઉલ્લેખનીય છે કે,દ્રવિડે 2014 માં ગુલબર્ગ યૂનિવર્સિટીના 32 માં દિક્ષાંત સમારોહમાં ભાગ નહોંતો લીધો ત્યારે તેમને 12 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.