Not Set/ પંજાબમાં ક્યાંય પણ જાવ ‘બાદલ ટેક્સ’ ચુકવો પડે છે, અમરિંદર બનશે સીએમઃ રાહુલ ગાંધી

ચંદીગઢઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પંજાબના ત્રણ દિવસના પ્રવાસે છે. પંજાબના મજીઠામાં રાહુલ ગાંધીએ અકાલી દળ પર નિશાન સાધ્યું હતું. રાહુલે જણાવ્યું હતું કે, પાંચ નદીઓ સમગ્ર દેશને શક્તિ આપે છે. બાદલ ખેડૂતોને ખુશી આપે છે, પરંતુ પંજાબના બાદલોએ જનતાને કઇ જ નથી આપ્યું.પંજબમાં નોકરી જોઇતી હોય તો બાદલોને હટાવી દો. પંજાબમાં ડ્રગ્સની એક […]

Uncategorized
rahul પંજાબમાં ક્યાંય પણ જાવ 'બાદલ ટેક્સ' ચુકવો પડે છે, અમરિંદર બનશે સીએમઃ રાહુલ ગાંધી

ચંદીગઢઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પંજાબના ત્રણ દિવસના પ્રવાસે છે. પંજાબના મજીઠામાં રાહુલ ગાંધીએ અકાલી દળ પર નિશાન સાધ્યું હતું. રાહુલે જણાવ્યું હતું કે, પાંચ નદીઓ સમગ્ર દેશને શક્તિ આપે છે. બાદલ ખેડૂતોને ખુશી આપે છે, પરંતુ પંજાબના બાદલોએ જનતાને કઇ જ નથી આપ્યું.પંજબમાં નોકરી જોઇતી હોય તો બાદલોને હટાવી દો. પંજાબમાં ડ્રગ્સની એક મોટી સમસ્યા છે. 70 ટકા યુવાનો ડ્રગ્સની લત ધરાવે છે. તમે ક્યાંય પણ જાવ બાદલ ટેક્સ તો ચુકવો જ પડે છે.

પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીઆમ ભ્રષ્ટાચારની લડાઇની વાત કરી રહ્યા છે. તો તે પંજાબમાં અકાલી દળ સાથે કેવી રીતેઉભા રીતે શકે છે.