આઇસીસીએ તાજેતરમાં જ કોરોના વાયરસના કહેરને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપને મોકૂફ રાખ્યો છે. ટી 20 વર્લ્ડ કપ મુલતવી રાખ્યા બાદ હવે આઈપીએલ 2020 ઇવેન્ટનો માર્ગ સાફ થઈ ગયો છે. જેને લઈને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું મોટું નિવેદન સામે આવ્યું આવ્યું છે.
શોએબ અખ્તરે બીસીસીઆઈ પર આરોપ લગાવ્યો છે કે, આ વર્ષના અંતમાં યોજાનારી ટી -20 વર્લ્ડ કપ મુલતવી રાખવા પાછળ ભારતીય ક્રિકેટ બોર્ડનો મોટો હાથ છે અને આઈપીએલના આયોજન તરફ આ પ્રકારનું પગલું ભર્યું છે. અખ્તરે એમ પણ કહ્યું કે, આ વર્ષે એશિયા કપનું આયોજન થઈ શક્યું હોત.
જીઓ ક્રિકેટ સાથે વાત કરતાં અખ્તરે કહ્યું, “જ્યારે એશિયા કપ ચોક્કસપણે થઈ શકે, ત્યારે ભારત અને પાકિસ્તાન માટે એકબીજા સામે રમવા માટેની સારી તક હોત. તેની પાછળ ઘણાં કારણો છે. હું તેમાં પ્રવેશવા માંગતો નથી.” અખ્તરે કહ્યું, “ટી -૨૦ વર્લ્ડ કપ પણ હોઇ શકે, પરંતુ મેં પહેલેથી જ કહ્યું હતું કે, BCCI તેને થવા દેશે નહીં. આઈપીએલને નુકસાન ન થવું જોઈએ. વર્લ્ડ કપ નર્કમાં જવા દો.”
આપને જણાવી દઈએ કે, આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ટી -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી આઇપીએલના આયોજનનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે અને બીસીસીઆઈ યુએઈમાં ટૂર્નામેન્ટ યોજવાનું વિચારી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.