પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે સોમવારે ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકામાં હાર્ટ એટેકને કારણે પંડિત જસરાજનું સોમવારે સવારે 90 વર્ષની વયે અવસાન થયું હતું.
સચિન તેંડુલકરે ટ્વિટર પર પંડિત જસરાજના નિધન પર એક ટ્વિટમાં લખ્યું, “પદ્મ વિભૂષણ પંડિત જસરાજ જીના નિધન પર દુ:ખ વ્યક્ત કરવા શબ્દો પૂરતા નથી. તેઓ એક મહાન સંગીતકાર હતા. તેમના આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબ અને પ્રિયજનો પ્રત્યે મારી દિલથી સંવેદના. “
Words may not suffice to express the heartfelt sorrow that I feel for the passing away of Padma Vibhushan Pandit Jasraj ji. He was a musician par excellence.
May his soul Rest In Peace and my deepest condolences to his family and loved ones. pic.twitter.com/is75MNWxUA— Sachin Tendulkar (@sachin_rt) August 17, 2020
પંડિત જસરાજને આઠ દાયકાથી વધુની સંગીત યાત્રામાં પદ્મ વિભૂષણ (2000), પદ્મ ભૂષણ (1990) અને પદ્મ શ્રી (1975) જેવા પુરસ્કારો મળ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સૌરમંડળના એક ગ્રહનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હતું અને તે આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા હતા.
ભારતીય પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ સંગીતના દિગ્ગજ વ્યક્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “પંડિત જસરાજ જીના અવસાનથી ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રે એક મોટી કમી આવી ગઈ છે. તેઓ તેમના સંગીતના માધ્યમથી જીવિત રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યેની હાર્દિક સંવેદના. ઓમ શાંતિ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન