પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે આઠ સાંસદોના સસ્પેન્શનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સંસદમાં ખેડૂતોના હિતોની રક્ષા માટે લડનારાઓ પરની આ કાર્યવાહી ‘દુર્ભાગ્યપૂર્ણ’ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાનીવાળી સરકાર કેન્દ્રમાં જે રીતે કામ કરે છે તેના પર પણ મમતાએ નિશાન સાધ્યું હતું અને કામ કરવાના ‘લોકશાહી ધોરણો અને સિદ્ધાંતો’નો વિરોધ કર્યો હતો.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, ખેડુતોના હિતોની રક્ષા માટે લડતા આઠ સાંસદોનું સસ્પેન્શન ‘દુર્ભાગ્યપૂર્ણ’ છે અને લોકશાહી ધોરણો અને સિદ્ધાંતોનું સન્માન ન કરતી આ નિરંકુશ સરકારની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.
Suspension of the 8 MPs who fought to protect farmers interests is unfortunate & reflective of this autocratic Govt’s mindset that doesn’t respect democratic norms & principles. We won’t bow down & we’ll fight this fascist Govt in Parliament & on the streets.#BJPKilledDemocracy
— Mamata Banerjee (@MamataOfficial) September 21, 2020
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના નેતા ડેરેક ઓ બ્રાયન સહિત આઠ વિપક્ષી સભ્યોને વિવાદિત કૃષિ બિલો પસાર થવા દરમિયાન ઉપલા ગૃહમાં હાલાકી પેદા કરવા બદલ સત્રના બાકી દિવસો માટે સોમવારે સવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગૃહમાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપૂન બોરા, નાસિર હુસેન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને કે.કે. રાગેશ અને સીપીઆઈ-એમના ઇ. કરીમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તૃણમૂલ સુપ્રીમોએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, અમે ઝૂકીશું નહીં અને અમે સંસદમાં અને શેરીઓમાં આ ફાસિસ્ટ સરકાર સામે લડીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.