દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી 16 જૂને પોતાનો જન્મદિવસ મનાવવાના મૂડમાં નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાન અને કોરોના વાયરસ મહામારીને કારણે મિથુન ચક્રવર્તીએ આ નિર્ણય લીધો છે. મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીએ જણાવ્યું કે, કોવિડ -19 મહામારી અને અમારા પ્રિય સહયોગી સુશાંતના અકાળે અવસાનથી સર્જાયેલી સંજોગોને ધ્યાનમાં રાખીને, આ વર્ષે, મારા પિતા અને મેં જન્મદિવસ પર કોઈ ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કર્યો છે. અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ સલામત રહે અને શક્ય તેટલું ઘરની અંદર રહે.
ડિપ્રેસન સામે લડી રહેલ સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો લ્હાય જીવન ટુંકાવ્યું હતું. તેમના મૃત્યુના સમાચારથી ઘણા લોકો હચમચી ઉઠ્યા છે.
નમાશીએ દરેકને સમય કાઢવ અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે નિયમિત ચર્ચા કરવા અપીલ કરી છે. નમાશીએ કહ્યું, ‘તમને જે લોકો ગમે છે અને જે લોકો નથી ગમતા તેવા લોકોને તમારા શબ્દોથી દુખી ન કરો. ધૈર્યથી સાંભળો, તમારા અહંકારને કાયમ માટે છોડી દો. દરેકને તેમના દિલ અને દિમાગથી બોલવા દો કારણ કે હતાશા સૌથી મોટો હત્યારો છે.
નમાશીએ વધુમાં કહ્યું, ‘આપણા મિત્રો અને પરિવારના સર્કલમાં કોઈ શું કરી રહ્યા છે. તેમના વિચારો અને લાગણીઓને શબ્દોના રૂપમાં આવવા દો. માત્ર સાંભળવાની થોડી ટેવ મૂકીને આપણે બધા જ જીવ બચાવી શકીએ છીએ. ‘ કામની વાત કરીએ તો નમાશી રાજકુમાર સંતોષીની આગામી રોમેન્ટિક ફિલ્મ ‘બેડ બોય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.