સૌરાષ્ટ્રના વિરપુરમાં સેવાની ધૂંણી ધખાવનાર સંત જલારામબાપાની આજે 217મીં જન્મજ્યંતી છે. જેની ગુજરાત તેમજ દેશવિદેશમાં વસતા બાપાના ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદના સૌથી જુના ખમાસા જલારામ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારમાં મહાઆરતી કરાઇ હતી. ત્યારબાદ પુજા યોજાઇ હતી. તેમજ સાંજે બાપાને અન્ન કુટ ધરાવવામાં આવશે. જલારામ બાપાની જન્મજ્યંતી હોવાથી સવારથી જ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરત જોવી મળ્યો હતો. ખમાસામંદિર શિવાય અમદાવાદ શહેરની બીજા મંદિરોમાં પણ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.