બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે તેણે મુંબઈનાં તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યાને લઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો અને આ જ કારણે તેણે આત્મહત્યા પણ કરી લીધી છે. પોલીસે સુશાંતની આત્મહત્યાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોને પણ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી ભાવનાત્મક પોસ્ટ લખી છે.
સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે કે, આજે આ સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. આત્યંતિક દુઃખનાં કારણે, હું શું લખુ કે શું ન લખુ તે સમજાતું નથી. હું હજી પણ તે સમજવાનો પ્રયત્ન કરી રહી છુ કે આવુ કેમ કર્યુ. સની આગળ લખે છે કે મેં ઘણા લોકોને ડિપ્રેસન માટે અન્ય લોકોને સલાહ આપતી અને સકારાત્મક રહેવાની વાત કરતા જોયા છે, પરંતુ કેટલીક વાર હસવુ ખૂબ જ મુશ્કેલ અને અસંભવ લાગે છે. આટલું જ નહીં, ખુશીનો અનુભવ કરવો પણ મુશ્કેલ છે. સારી ચીજો શોધવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણે બધા આવી ભાવનાઓમાંથી પસાર થઈએ છીએ પરંતુ કેટલાક લોકો તેને છોડીને આગળ વધે છે અને કેટલાક તેમ કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, તે લોકોએ સ્ટા પોઝિટિવ કહેવુ ઘણુ અસંવેદનશીલ હશે જેને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે કે પછી જેને પરિવાર અને મિત્રોની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.