એક તરફ આજે સ્વતંત્રતા દિવસ છે તો બીજી તરફ જન્માષ્ટમીની પણ આજે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે.જેને લઈને કૃષ્ણ મંદિરોમાં સજાવટ કરવામાં આવી છે..મથુરા, દ્વારકા સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા છે..મથુરામાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છ.તો મંદિરમાં પણ દુધ સહિતના જુદા જુદા દ્રવ્યો દ્વારા પ્રભુનો અભિષેક કરવામાં આવ્યો.તો મોડી રાત્રે પ્રભુનો જન્મ થવાનો છે ત્યારે કૃષ્ણ ભક્તો તેમના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.સાથે સાથે દ્વારકા અને મથુરા જેવા મોટા મંદિરો પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.ભક્તો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવ્યા.અને ભગવાન શ્રીકૃષ્ણની આરતીમાં ભાગ લીધો હતો.અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો.મહત્વનું છે કે, જન્માષ્ટમીના તહેવારને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.