કોરોનાનાં કહેર અને લોકડાઉન વચ્ચે પણ આત્મઘાતનાં દુખદ કિસ્સાઓ અટકી નથી રહ્યા. જી હા આજે ફરી અમદાવાદમાં વધુ એક મહિલાએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં ફરી ફ્લેટમાંથી કૂદી મહિલાએ આપઘાત કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. અમદાવાદનાં પોશ ગણાતા એવા જજીસ બંગલો વિસ્તારમાં આવેલા શુભશાંતિ ફ્લેટની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.
શુભશાંતિ ફ્લેટની અગાસી પરથી કૂદી એક 55 વર્ષીય મહિલાએ આપઘાત કરી લીધો છે. જો કે, હત્યા કે આત્મહત્યા તે પ્રસ્તાપિત કરવા માટે મહિલાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….