રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 173લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 10,000લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 5,67,777 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,42,046 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5391 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 1737, રાજકોટ શહેરમાં 621, વડોદરા શહેરમાં 654, જામનગર શહેર 396, ભાવનગર શહેરમાં નવા 300 કેસ નોંધાયા.
હાલમાં રાજ્યમાં કોરોના વાઇરસ માટે રસીકરણ ચાલી રહ્યું છે. તોસાથે ૧૮+ ના લોકો માટે આવતી કાલથી રસીકરણ ચાલુ થઇ રહ્યું છે. અને જેના માટે આજથી કોવિન પોર્ટલ ઉપર તેનું રજિસ્ટ્રેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. નોધનીય છે કે તેમાં રજિસ્ટ્રેશન કરાવેલા યુવાનોને જ અપાશે.