નવી દિલ્હીઃ યૂપીમાં કાલે પહેલા ચરણ માટે મતદાન શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આજે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ યૂપીમાં સભા સંભોધી હતી અને એક બીજા પરા આરોપોનો વરસાદ કર્યો હતો. આજે અખિલેશ યાદવે પીલીભીતના કૉલેજ મેદાનમાં મોદી સરકાર પર મન મુકીન વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સપા સામે મોદી સરકારની હાર નિશ્ચિત છે.
બસપા પર નિશાન સાધતા અખિલેશ યાદવે જણાવ્યું હતુ કે, બસપાની સરકારમાં પત્થરનું જ કામ થયુ છે. જે હાથી પર બેસી ગયા તે ક્યારેય ઉભા નથી થઇ શક્યા અને તે ક્યારે બેઠી પણ નથી શક્યા. તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણી માં નરેન્દ્ર મોદીને અખિલેશ યાદવથી હાર મળશે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ખોટા વચનો આપ્યા છે. અખિલેશે લોકોને સવાલ પુછતા કહ્યું હતું કે, શું તમારા ખાતામાં 15 લાખા જમા થયા છે. ભાજપ અને બસપાએ મળીને ત્રણ વાલ સરકાર બનાવી છે. ચૂંટણી બાદ પણ તે મળી શકે છે.