અત્યારે વિવિધ પ્રકારના રોગ અસ્તિત્વમાં આવી રહ્યા છે, ત્યારે દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ નવોદય કેન્દ્રીય વિદ્યાલય પણ એક વિચિત્ર ઘટના બની છે. અહીં નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ બીમાર પડતા હોસ્પીટલમા દાખલ કરાયા છે. એક બે નહિ પુરા ૨૩ વિદ્યાર્થી એક સાથે બીમાર પડતા તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
નવોદય કેન્દ્રીય વિદ્યાલયની હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓ અચાનક કોઈક કારણસર બીમાર થતા સારવાર અર્થે હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા છે. 23 બાળકોની કોઈક કારણસર અચાનક તબિયત બગડતા શાળા પરિવારમા દોડધામ મચી ગયી હતી. આ ઘટનાને ધ્યાનમા લઇ મેડીકલની ટીમ શાળા અને હોસ્ટેલ પર પોહચી હતી. હજુ સુધી આ બાળકોની બીમારી અંગે કોઈ સત્તાવાર માહિતી મળેલ નથી.
તો આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના તેમજ ત્યાં બનાવવામાં આવતા ખોરાકના સેમ્પલ લઇ બાળકોનુ બીમાર પડવાનુ કારણ શુ છે એની તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.