Surat News: સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારીઓ સાથે મોટું બેંક છેતરપિંડી (Bank fraud) કેસ સામે આવ્યો છે. ટોળકે દર મહિને 10% નફો આપવાની લાલચ આપી કુલ 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
10% નફો આપવાનો વાયદો આપીને છેતરપિંડી (Bank fraud)
સાયબર સેલ (Cyber Cell)ની તપાસમાં ખુલ્યું કે, આ કૌભાંડમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો પણ સામેલ હતા. ઘટનાની તપાસ હેઠળ બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઈન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરીને ઊંચા વળતરના વાયદા દ્વારા તેમની જીવનભરની મૂડી અપહરિત કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે એજન્ટોના માધ્યમથી 50થી વધુ શંકાસ્પદ બેંક ખાતા ખોલ્યાં હતા. ધરપકડ કરાયેલા બેંક મેનેજરોએ છેતરપિંડી (Bank fraud) ના વ્યવહારોમાં સહાય કરવા બદલ દેતાંક 60 હજાર રૂપિયા કમિશન લીધાં હતા.
પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ અને એજન્ટો સામેલ છે તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે. સુરતની સાયબર સેલ આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે અને આ પ્રકારની છેતરપિંડી (Bank fraud) સામે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:CBI કોર્ટે બેંક છેતરપિંડીના કેસમાં આસિસ્ટન્ટને 07 વર્ષની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો
આ પણ વાંચો:રોટોમેક પેન ગ્રુપના ચેરમેન વિક્રમ કોઠારીનું અવસાન,બેંક છેતરપિંડી કેસમાં જામીન પર હતા
આ પણ વાંચો:દાહોદમાં ₹5.57 કરોડનું લોન કૌભાંડ, SBI બેંકની શાખાઓમાં છેતરપિંડીનું નેટવર્ક ખુલ્લું
