Rajasthan/ મહાશિવરાત્રીનો ‘પ્રસાદ’ ખાવાથી 60-70 લોકો થયા બીમાર, CMHOએ કહ્યું સંખ્યા વધવાની સંભાવના

રાજસ્થાનના ડુંગરપુરમાં ગુરુવારે મહાશિવરાત્રીના ‘પ્રસાદ’ ખાધા પછી ઘણા લોકો બીમાર પડ્યાં. આસપુર સીએમએચઓ (CMHO)એ કહ્યું, “60-70 લોકો બીમાર છે, આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. CMHOએ કહ્યું કે આ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હોઇ શકે છે. હાલ તમામ નમુનાઓ એક્ત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યા 3-4 હોસ્પિટલોની ટીમો કાર્યરત છે. ” ગુરુવારે સવારથી […]

India

રાજસ્થાનના ડુંગરપુરમાં ગુરુવારે મહાશિવરાત્રીના ‘પ્રસાદ’ ખાધા પછી ઘણા લોકો બીમાર પડ્યાં. આસપુર સીએમએચઓ (CMHO)એ કહ્યું, “60-70 લોકો બીમાર છે, આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. CMHOએ કહ્યું કે આ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હોઇ શકે છે. હાલ તમામ નમુનાઓ એક્ત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યા 3-4 હોસ્પિટલોની ટીમો કાર્યરત છે. ”

ગુરુવારે સવારથી રાજસ્થાનની રાજધાની જયપુરના મુખ્ય શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જયપુરના વિશાળ રસ્તા પર સ્થિત મુખ્ય તાડકેશ્વર મંદિરમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ દૂધ, પાણી, ઘી, મધ વગેરે સાથે ભગવાન શિવની પૂજા કરી હતી. રાજધાનીના ઘણા શિવાલયોમાં હર હર મહાદેવની ગુંજ સંભળાઇ હતી.


રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજભવન ખાતે મહા શિવરાત્રી નિમિત્તે પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી. મિશ્રાએ શિવલિંગનો અભિષેક કર્યો અને રાજ્યના લોકોની ખુશી અને સમૃદ્ધિની શુભકામના પાઠવી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહાશિવરાત્રીના શુભ પ્રસંગે રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

રાજસ્થાનમાં ગુરુવારે કોરોના વાયરસના ચેપના 203 નવા કેસ આવ્યા છે, જે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 3,22,281 ગયા છે. રાજ્યમાં આ જીવલેણ ચેપને કારણે 2,789 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 203 નવા કેસના આવતા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી ગઇ છે.

આગમન સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,22,281 થઈ ગઈ છે, જેમાંથી 2,142 દર્દીઓ સારવાર હેઠળ છે.