kerala news/ ઘરમાં આગમાં 96 વર્ષીય પિતા અને 86 વર્ષીય માતાનું મોત, પુત્રને પોલીસે કસ્ટડીમાં લીધો

આ ઘટના અલપ્પુઝાના ચેનીથાલા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ 96 વર્ષીય રાઘવન અને તેની 86 વર્ષીય પત્ની ભારતી તરીકે થઈ છે.

India Trending

Kerala News: કેરળના અલપ્પુઝામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં શનિવારે વહેલી સવારે એક ઘરમાં આગ લાગી હતી, જેના કારણે એક વૃદ્ધ દંપતી બળીને ખાખ થઈ ગયું હતું. આ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે દંપતીના પુત્રની અટકાયત કરી છે, જેના પર ઘરમાં આગ લગાવવાની આશંકા છે.

એજન્સી અનુસાર, આ ઘટના અલપ્પુઝાના ચેનીથાલા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ 96 વર્ષીય રાઘવન અને તેની 86 વર્ષીય પત્ની ભારતી તરીકે થઈ છે. દંપતીના પુત્ર વિજયનને મન્નાર પોલીસે શંકાસ્પદ માનીને તેની અટકાયત કરી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિજયનનો તેના માતા-પિતા સાથે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

માહિતી અનુસાર, એક ઓટો ડ્રાઈવરે સૌથી પહેલા આગની જાણ કરી હતી. તેણે સવારે સાડા ત્રણ વાગ્યે આગ જોઈ. આ પછી સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને ઘરની અંદરથી દંપતીના સળગેલા મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું.

દંપતીનો પુત્ર વિજયન ઘટના સ્થળ નજીકના પ્લોટમાંથી પોલીસના હાથે ઝડપાયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શોધી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિગતવાર તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે. હાલમાં વિજયનની પૂછપરછ ચાલી રહી છે. આ મામલે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેરળમાં ભાજપ-RSSના આઠ કાર્યકરોને આજીવન કારાવાસ, કોર્ટે તેમને સીપીઆઈ(એમ) નેતાની હત્યામાં સજા સંભળાવી 

આ પણ વાંચો: કેરળમાં સગીરાના જાતીય શોષણની કંપારી છૂટી જાય તેવી કહાણી

આ પણ વાંચો: મહિલાના શરીરને જોઈને ‘ફાઇન’ કહેવું એ જાતીય સતામણી સમાન છેઃ કેરળ હાઈકોર્ટ