Gandhinagar News: ગુજરાતના પાટનગર Gandhinagarના લોકોને નવા વર્ષે Metro ટ્રેનના સ્વરૂપમાં અનોખી ભેટ મળશે. ફુલ ફ્લેજ્ડ Metroના સ્વરૂપમાં આખા જીવનની રાહત આપતી હોય તેવી ભેટ ગાંધીનગરવાસીઓને મેટ્રોના સ્વરૂપમાં મળશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ્વેનો પ્રારંભ થશે.

Gandhinagarને મળશે રાહત
Gandhinagarમાં Metroના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ Metroનો પ્રારંભ કરાવશે. આ માટે પીએમ મોદી અમદાવાદ જૂની હાઈકોર્ટથી Metro ટ્રેનમાં મહાત્મા મંદિર આવશે.

વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ
ગાંધીનગરમાં પીએમ મોદી જર્મન ડેલિગેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. શૈક્ષણિક, વહીવટી હબ બનેલા ગાંધીનગર માટે Metro આશીર્વાદરૂપ સાબિત થશે. છેક મહાત્મા મંદિર સુધી Metro લંબાવવાના લીધે ગાંધીનગરના 20 સેક્ટરો અને આસપાસના ત્રણ ગામના લોકોને સીધો ફાયદો થશે. આમ Metro દ્વારા હવે અમદાવાદ અને ગાંધીનગરબંને જોડાઈ ગયા છે. તેના કારણે હાલમાં પ્રતિ દિન દોઢ લાખ મુસાફરોની સરેરાશનો આંકડો બે લાખને પણ વટાવી જાય તો આશ્ચર્ય નહી થાય.

આ ઉપરાંત આ રૂટ શરૂ થયા પછી હવે અમદાવાદમાં Metroને થલતેજથી ગોધાવી સુધી લંબાવવાની કામગીરીને સરકારી મંજૂરી મળ્યા બાદ આગામી સમયમાં શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. તેના માટેનો શક્યતાદર્શી અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે અને જરૂરી પ્લાન પણ થઈ ગયો છે. આ ઉપરાંત વૈષ્ણોદેવીથી સનાથલ પણ Metroનું આયોજન છે.
