વડાપ્રધાન મોદીએ આજે અહીં બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં એમનાં વિચાર વ્યક્ત કર્યા હતા. આ બેઠક સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની કાર્યવાહી સરળતાપૂર્વક સંપન્ન થાય એ માટે વિરોધપક્ષોનો સાથ-સહકાર માગવા માટે બોલાવાઈ હતી. જોકે આ બેઠકમાં જનતા દળ (યૂનાઈટેડ) અને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ એ હાજરી આપી નહતી.
બેઠક પૂરી થયા બાદ ભાજપના નેતાઓ – મુખ્તાર અબ્બાસ નક્વી અને અનંત કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગૌરક્ષાના નામે હિંસા કરનારાઓ સામે કેન્દ્ર દ્વારા તપાસ કરાવવાની વડાપ્રધાને તમામ પક્ષોને ખાતરી આપી હતી