સુરતમાં આવેલા દેગડિયામાં પાણી મળી રહે તે માટે સરકારે યોજના ઘડી હતી. ૪૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ પછી ગામ જનોને એમ હતું કે તેમણે પીવાનું પાણી મળી રહશે. પણ ગ્રામ જનોનું કહેવું છે કે તંત્રે પૈસા ખાઈ ગયું છે, પીવાના પાણી માટે જે પાઈપો નાખવામાં આવી તે ખુબજ હલકી ગુણવત્તા વાળી નાખી જેના લીધે પાઈપોમાં ભંગાણ પડ્યું છે.
પ્લાન્ટ ઓપરેટર એ પોતાનો બચાવ કરતા કહ્યું કે, ગામમાં રોડ બનાવનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે પાણી આપવા માં સમસ્યા થાય છે. ગામ જનોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકર કોઈ મહત્વના પગલાં લે છે કે નઈ તે જોવાનું રહ્યું.
