Not Set/ પાટીદારોના અલ્ટીમેટમને લઈને અશોક ગહેલોતે આપ્યું નિવેદન

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાસના કોઈપણ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. કોઈપણ પ્રકારની ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરવામાં આવશે. પાટીદારો સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. મહત્વનું છે, કે પાસ સાથે કોંગ્રેસની બેઠક મળવાની હતી જેમાં પાસના આગેવાનોને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેથી પાસના […]

Top Stories

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાસના કોઈપણ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. કોઈપણ પ્રકારની ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરવામાં આવશે. પાટીદારો સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.

મહત્વનું છે, કે પાસ સાથે કોંગ્રેસની બેઠક મળવાની હતી જેમાં પાસના આગેવાનોને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેથી પાસના નેતા દિનેશ બાભંણીયા નારાજ થયા હતા અને કોંગ્રેસને 24 કલાકનું અલટીમેટમ આપીને એ જણાવ્યું હતું કે અનામત મુદ્દે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે જો આમ નહી થાયતો ભાજપની જેમ કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે દિનેશ બાભંણીયાના આ નિવેદનના કારણે અશોક ગહેલોતે આ પ્રકારનું નિવેદન આપ્યું છે….