ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાજ્યસભામાં પોતાનું ડેબ્યુ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણ પર ઘણાં વિષયોની વાતો કહી હતી. અને કેટલાક લોકો આનું વિશ્લેષણ પણ કરી રહ્યાં છે તે લોકોનું સ્વાગત છે પણ આને અલગ દૃષ્ટિકોણથી જોવું જોઈએ.
અમિત શાહે પોતાના ભાષણમાં પીએમ મોદીના પકોડા વાળા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર વિપક્ષના નેતાઓએ હંગામો કર્યો હતો.
BJP ne kabhi GST ka virodh nahi kiya tha, iske tarikon ka virodh kiya tha. UPA ye kar sudhar leke aayi, Cess ghatane se rajyon ko nuksaan hua, wo UPA ko chukana tha, par nahi chukaya. 37,000 crore NDA ne chukaya: Amit Shah pic.twitter.com/LKxLhCx48e
— ANI (@ANI) February 5, 2018
રાજ્યસભામાં શાહે કહ્યું કે બેરોજગારી કરતાં યુવાનો પકોડા વેચે, પકોડા વેચવાએ કોઈ શરમજનક વાત નથી.આની ભિખારી સાથે કોઈ તુલના ના કરવામાં આવે.તેમણે કહ્યું કે ચાય વાળોનો છોકરો પીએમ બની શકે છે તો પકોડા વેચવા વાળનો છોકરો આગળ જતાં ઉદ્યોગપતિ બની શકે છે. અમિતશાહે કહ્યું કે કરોડો યુવા જેઓ નાના નાના સ્વરોજગારની દિશામાં આગળ વધી રહ્યાં છે.
