Not Set/ વાંચો. લાલ કિલ્લા પરથી PM મોદીએ આપેલા ભાષણના ખાસ અંશો

નવી દિલ્હી, ૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ આજે આપણે ૭૨ મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો. આ પહેલા તેઓએ રાજઘાટ પર પહોચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ આજે આપણે ૭૨ મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો. આ પહેલા તેઓએ રાજઘાટ પર પહોચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જો કે ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા તેઓનું આ અંતિમ ભાષણ હતું.

સ્વતંત્રતા દિવસ પર પાંચમીવાર દેશવાસીઓનેસંબોધતા PM મોદીએ કહ્યું,

દેશ આજે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે.

આજનો સૂર્યોદય નવો ઉત્સાહ લઈને આવ્યો છે.

અમારા દેશમાં ૧૨ વર્ષમાં એકવાર નીલકુરિંજનું પુષ્પ ઉગે છે, ત્યારે આ વર્ષે પુષ્પ તિરંગાના અશોક ચક્રની જેમ ખીલી રહ્યું છે.

દેશના ઘણા રાજ્યોની બેટીઓએ સાત સમંદર પાર કર્યું છે અને તમામને તિરંગામા રંગી દીધું છે.

અમે ગોળી કે ગાલીઓના રસ્તા પર નહિ, પરંતુ ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ.

આજે આપણે આઝાદીનું પર્વ એ સમયે મનાવી રહ્યા છે, ત્યારે આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો છે.

દેશમાં સેનાના જવાનો માટે ઘણા વર્ષોથી પેન્ડીંગ રહેલા વન રેન્ક વન પેન્શનને અમે લાગુ કર્યું છે.

દેશની સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોના દાત ખાટા કર્યાં છે.

દેશની સેના કરુણા અને મમતા સાથે કોઈ પણ સમસ્યા માટે આગળ આવતી હોય છે.

દેશની ખેતીને આધુનિક બનાવવા સમયની માંગ છે. અમે કૃષિનું આધુનિકરણ કરવા માંગીએ છીએ. સોલાર ફોર્મિંગ, બ્લુ રિવોલ્યુશન, ઓર્ગેનિક ફાર્મિંગ જેવા નવા ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરત છે.

WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૩ લાખ બાળકો સ્વચ્છતાના કારણે મૃત્યુથી બચ્યા છે.

આ પહેલા સ્વચ્છતા અભિયાન શરુ કરતા સમયે લોકો આ અભિયાનની આલોચના કરતા હતા.

આયુષ્યમાન ભારતને ૨૫ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને આ અભિયાનની શરૂઆત સાથે જ ૧૦ કરોડ પરિવારજનોને લાભ મળશે.

અમે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ.

૧૩ કરોડ યુવાનોને મુદ્રા લોન આપવામાં આવી અને આજે આપણે સ્વરોજગારી આપવા માટે આગળ વધી રહ્યા છે.

૩ લાખથી વધુ ગામોમાં કોમન સર્વિસ સેન્ટર દેશભરના ગામોમાં ચાલી રહ્યા છે.

દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં ૩ મહિલા જજો ઉપસ્થિત છે.

વૃધ્ધો અને મહિલાઓને એકસમાન અધિકાર મળવા જોઈએ.

અમે મખ્ખન પર લકીર નહિ, પણ પથ્થર પર લકીર ખેંચવા વાળા છે.

સંસદનું મોનસૂન સત્ર સામાજિક ન્યાયને સમર્પિત રહ્યું છે. આ સત્રમાં દેશના આદિવાસી લોકો માટે OBC બીલ લાવવામાં આવ્યું છે અને તેને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.

હું દેશની મુસ્લિમ બહેનોને આશ્વાસન આપું છું કે ટ્રિપલ તલાકના મુદ્દે તેઓને ન્યાય આપવા માટે જરૂરથી કામ કરીશું.

આ પહેલા દુનિયાના અન્ય દેશો અમારી સાથે જોડવા માટે સંકોચાતા હતા. તેઓ કહેતા હતા કે, ભારતની અર્થવ્યવસ્થામાં રિસ્ક છે પરંતુ આજે તે જ દેશ અમારી સાથે જોડવા ઈચ્છે છે અને તેઓને ભારતમાં નવા અવસર જોવા મળી રહ્યા છે.

સરકારે REFORM, PERFORM, TRANSFORMના મોડલ પર ચાલતા અમે ઘણું કામ કર્યું છે.

ચાર વર્ષમાં નોર્થ ઇસ્ટને ભારત સાથે લાવીને ઉભું કર્યું છે.

જયારે દેશ માટે કઈ કરી બતાવવાનો ઈરાદો હોય ત્યારે બેનામી સંપત્તિનો કાયદો પણ લાગુ થાય છે.

આજે અમારા દેશની ૬૫ ટકા લોકો ૩૫ થી નીચેની ઉંમરના છે, જેથી દુનિયાભરની નજર અમારા પર બનેલી છે.

દલિત, પીડિત, ગરીબોને ન્યાય મળે એ પ્રકારનો દેશ બનાવવો છે.

દેશ આજે રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરી રહ્યો છે, ત્યારે મોબાઈલ ફેક્ટરી બનાવવાનું કામ પણ કરી રહ્યો છે.

જૂની સરકારોની ઢબે જો શૌચાલય બનાવવામાં આવતા તો વર્ષો લાગી જાત.

દેશમાં આજે નાના શહેરોમાં સ્ટાર્ટઅપ ઝડપથી આગળ વધી રહ્યું છે.

દેશના નાના વેપારીઓના કારણે આજે દેશમાં એકસમાન કર GST લાગુ થયો છે.

અમે આપના સમાજ અને દેશને રેપની ઘૃણાસ્પદ માનસિકતામાંથી બહાર લાવવા માંગીએ છીએ. હાલમાં જ મધ્યપ્રદેશ બનેલી બળાત્કારની ઘટનાને ફાસ્ટટ્રેક કોર્ટમાં લાવવામાં આવ્યા છે.

આજે ભારતની દરેક વસ્તુ પર સમગ્ર દુનિયાની નજર હોય છે. ૨૦૧૪ બાદ આ સ્થિતિમાં ખૂબ ફેરફાર થયો છે.

આજે ભારતની દરેક વાત સાંભળવામાં આવે છે. સમગ્ર દુનિયાના કહે છે નિંદ્રામાં રહેલો હાથી આજે જાગી ગયો છે.

સવા સો કરોડ સપનાઓ એક સાથે આગળ વધે છે તે કઈ પણ અસંભવ હોઈ શકે નહિ.

૨૦૨૨મા અંતરિક્ષમાં દેશનો કોઈ પણ દીકરો કે દીકરી હાથમાં તિરંગો લઈને જશે

ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક વધારવાનું કામ જો ૨૦૧૩ની ઝડપે ચાલતું હોટ તો દાયકાઓનો સમય લાગી જાત.

દેશમાં હાઈવે બનાવવાનું કામ ઝડપી અને યોગ્ય રીતે ચાલી રહ્યું છે.

દેશમાં અનાજના ઉત્પાદનનો એક રેકોર્ડ બન્યો છે.

દેશમાં રેકોર્ડ ટ્રેકટરનું વેચાણ થયું છે.

૨૦૧૪માં સરકાર બન્યા બાદ હું મારા અનુભવથી એટલું કહી શકું છું કે દેશના સવા સો કરોડ દેશવાસીઓ માત્ર સરકાર બનાવીને રોકાયા નથી, તેઓ એક દેશ બનાવવામાં લાગેલા છે.

બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા દેશના બંધારણમાં બધાને એકસમાન અધિકાર આપવાની વાત કહી હતી, ત્યારે અમે પણ ખાતરી દેશના તમામ લોકોને પોતાના સામાજિક અધિકારો આપવા માટે ખાતરી આપીએ છીએ.

દેશના કેટલાક ભાગોમાં મોનસૂન સારું રહ્યું છે, પરંતુ દેશના અમુક ભાગો પૂરનો ભોગ બન્યા છે. મારી સંવેદના એ તમામ લોકોના પરિવારજનો સાથે છે જેઓએ આ ત્રાસદીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

આવતા વર્ષે બૈશાખીના રીજ જલિયાવાલા બાગની ઘત્ન્નાએ`ઘટનાને ૧૦૦ વર્ષ થઇ રહ્યા છે, ત્યારે હું એ તમામને પ્રાર્થના કરું છું જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ પાંચમીવાર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્રગાન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા રાજઘાટ પહોચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચ ડી દેવેગૌડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના વરિષ્ટ નેતા એલ કે અડવાણી, સરકારના તમામ કેન્દ્રીયમંત્રી સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.