રાજકોટ
રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 33 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળી છે.
જન્માષ્ટમી મહોત્સવ ઉજવણીના આયોજન વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ ફલોટ્સ આ શોભાયાત્રા માં જોડાયા.
ધાર્મિક અને સામાજિક વિચાર ના ફલોટસ જોવા રાજકોટ ની ૮-૯ લાખ જાહેર જનતા આ શોભાયાત્રા માણવા ઉભા રહે છે. જેમાં અલગ અલગ થીમ પર ફલોટસ તૈયાર થાય છે જેમ કે દેશ ની સમસ્યા, વ્યસન મુક્તિ, ટ્રાફિક નિયમ, આતંકવાદ, કશ્મીર મુદે, ગૌહત્યા રોક, વગેરે પર ફલોટસ તૈયાર કરવામાં આવ્યા છે.
જેમાં રાજકોટની વિવિધ વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે સોહન સોલંકીએ સરકાર પાસે હિંદુઓ માટે ન્યાય ની માંગ કરી. આ સાથે રામ મંદિર અને ગૌહત્યા માટે સરકાર કાર્ય કરે તે જાહેર માં સમ્બોધ્યું.
આ યાત્રા ૨૬ કિલોમીટર ની હોય છે. આ યાત્રા માં મોટા ભાગે યુવાનો જોડાયા હતા..