પંજાબી અભિનેત્રી અને બિગ બોસ ફેમ શહેનાઝ ગિલે સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માંથી બહાર નીકળવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. શહનાઝે તેની એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે હજુ પણ આ ફિલ્મનો ભાગ છે અને સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે તે માત્ર અફવા છે.
હકીકતમાં એવું બન્યું કે શહનાઝ વિશે અચાનક સમાચાર આવવા લાગ્યા કે તેના અને સલમાન ખાન વચ્ચે ઝઘડો થયો છે. શહનાઝે સલમાન ખાનને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધો છે. એવા અહેવાલો પણ હતા કે શહનાઝ ભાઈજાનની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માંથી બહાર છે. પરંતુ હાલમાં જ અભિનેત્રીએ એક પોસ્ટ કરીને તમામ સમાચારો પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
શહનાઝે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “LOL! છેલ્લા કેટલાક અઠવાડિયાથી, આવી અફવાઓ મારા મનોરંજનનો દૈનિક ડોઝ છે. લોકો આ ફિલ્મ જુએ તેની હું રાહ જોઈ શકતી નથી અને અલબત્ત મને પણ આ ફિલ્મમાં જોવો.
શહનાઝની આ પોસ્ટ દ્ધારા એટલુ તો સ્પષ્ટ થઇ જ ગયુ છે કે હાલમાં પણ ભાઇજાન અને શહનાઝ વચ્ચે બધુ બરાબર છે. હવે જોવાનું એ રહ્યું કે ભાઇજાન સાથેની તેની ફિલ્મ ક્યારે આવે છે અને હકીકતમાં તે સલ્લુમીયા સાથે છે કે નહીં.