કોલંબો
માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા બ્રિટીશ કાળની કેટલીક મૂર્તિઓને ઇસ્લામ ધર્મ માટે અપમાનજનક જાહેર કર્યા બાદ પોલીસે કુહાડી અને અન્ય ઉપકરણથી મંગળવારે તેને તોડી દીધી હતી.

યામીને જુલાઈમાં આ મૂર્તિઓને તોડવા માટેનો આદેશ આપ્યો હતો જેનો અમલ શુક્રવારે કરવામાં આવ્યો હતો.

જેસન દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિઓને માલદીવના એક રિસોર્ટમાં અડધી ડૂબે તેમ ધાતુના એક સાધનમાં રાખવામાં આવી હતી.

જુલાઈમાં જયારે આ મૂર્તિઓને લગાવવામાં આવી હતી ત્યારે કેટલાક ધર્મગુરુએ તેની આલોચના કરી હતી. તમને જણાવી દઈએ કે આ મૂર્તિઓનો મુસ્લિમ ધર્મથી કોઈ નાતો નથી.

યામીને જુલાઈમાં કહ્યું હતું કે કોરાલારીયમ સીરીઝની આ મૂર્તિના લીધે ઘણાય લોકોની તેના વિરુદ્ધની ભાવના જોઇને તેમણે મૂર્તિઓને નષ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
જો કે અત્યાર સુધી આ મૂર્તિ નષ્ટ શા માટે કરવામાં આવી તેનું સાચું કારણ જાણવા નથી મળ્યું. નવાઈની વાત તો એ છે કે ચૂંટણીમાં યામીનની હર બાદ તરત જ આ મૂર્તિને તોડવામાં આવી છે.
માલદીવમાં સ્થાનિક મીડીયાએ તેમની પોસ્ટમાં મૂર્તિને તોડતા હોય તેવા વિડીયો શેર કર્યા છે.
