રવિવારે થનારા મોદી સરકારના કેબિનેટ ફેરબદલ પહેલા બેઠકોનો દોર જામ્યો છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કેબિનેટમાં સ્થાન પામનારા સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજશે જેમાં રાજીનામું આપી ચુકેલા મંત્રીઓ પણ શામેલ થઇ શકે છે.
મહત્વનું છે કે, આ બેઠક પહેલા અમિત શાહે વૃંદાવનમાં આર એસ એસ પ્રમુખ મોહન ભાગવત સાથે પણ બેઠક કરી હતી જેમાં મોદી કેબિનેટના ફેરબદલની ચર્ચા થઇ હતી.
અમિત શાહ બેઠકના અંતિમ દોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી કેબિનેટના ફેરબદલનો વિસ્તૃત અહેવાલ રજુ કરશે.
