Not Set/ SBI એ ગ્રાહકોને મોકલ્યો મેસેજ, કહ્યું- અમે પૂછતા નથી, તમે કહેશો નહીં!

મુંબઇ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા અને તેમના પૈસા સુરક્ષિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક સતત તેના ગ્રાહકોને ચેતવણી આપે છે. એસબીઆઇએ ટ્વિટ કર્યું છે કે બેંક તેના ગ્રાહક પાસેથી યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી, યુપીઆઈ પિન વગેરે જેવી સંવેદનશીલ માહિતી પૂછતી […]

Top Stories Business

મુંબઇ,

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા અને તેમના પૈસા સુરક્ષિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક સતત તેના ગ્રાહકોને ચેતવણી આપે છે. એસબીઆઇએ ટ્વિટ કર્યું છે કે બેંક તેના ગ્રાહક પાસેથી યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી, યુપીઆઈ પિન વગેરે જેવી સંવેદનશીલ માહિતી પૂછતી નથી. તેથી તમારી કોઈપણ સંવેદનશીલ માહિતી કહેવી નહીં. આ ઉપરાંત, ગ્રાહકોને ચેતવણી આપવા માટે બેંકે અન્ય પગલાં અપનાવ્યા છે.

ગ્રાહકોને આપ્યો આ SMS..

બેંક દ્વારા મોકલેલા SMS માં જણાવ્યું  છે કે એવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે જેઓ તેમને રીવોર્ડ પાઈન્ટના નામે ગીફ્ટ વાઉચર આપવાનું વચન આપે છે. બેંક કહે છે કે તમારે ક્યારેય તમારી ક્રેડિટ કાર્ડની વિગતો આપવી નહીં. પણ, OTP (વન ટાઇમ પાસવર્ડ) શેર કરશો નહીં. બેંકે આ સંદેશમાં વીડીયોની લિંક પણ શેર કરી છે. આ વીડીયો બતાવે  છે કે છેતરપિંડી કરનાર લોકો કેવી રીતે છેતરપિંડી કરે છે.

આ રીતે બચો..

બેંક કહે છે કે કાં તો બેંક અધિકારીઓ દ્વારા અથવા એસએમએસ અને ઈ-મેલ મોકલીને, બેંક તમારા બેંક એકાઉન્ટમાંથી કોઈ પણ માહિતી માટે પૂછે છે. તેથી આપણે હંમેશા આવા એસએમએસ ટાળવા જોઈએ. જો તમારી સાથે ફોર્ડ પણ થી જાય તો તરત જ પોલીસને તેની જાણ કરો. ઉપરાંત, બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ નંબરને પણ વિશે બેંકને કહો.

 કોઈ પણ બેંકના કોલને આ રીતે આપો જવાબ…

SBI ગ્રાહકોને કહ્યું છે કે જો કોઈ અજ્ઞાત નંબરથી ફોન કરનાર વ્યક્તિ તમારી ડેબિટ કાર્ડની વિગતો માંગે છે, તો તેને તમે કહો સોરી  ડેબિટ કાર્ડ મારા મિત્ર પાસે છે. તેથી તમે મારા મિત્રને કૉલ કરો અને કાર્ડની વિગતો લઈ શકો છો. પછી તમે તેને 100 પર કૉલ કરવાનું કહો.