અમદાવાદ,
હોળાષ્ટકમાં ભદ્રાનું ઘણું મહત્વ હોય છે જ્યોતિષ અનુસાર શનિદેવની બહેન ભદ્રા છે અને તેમનું નામ- સ્મરણ કરવાથી આધી વ્યાધિ–ઉપાધિનો કોઈ ભય રહેતો નથી. આ વખતે હોળીના તહેવારમાં સવારે 10.46થી રાત્રે 8. 46 સુધી એટલે કે 10 કલાક સુધી ભદ્રાકાળ રહેશે. અને તેથી હોળી પૂજન અને અન્ય શુભ કાર્ય નિષેધ થાય છે. આથી હોળી પ્રાગ્ટ્ય પણ 9.00 વાગ્યા પછી જ થઈ શકે.
હોળાષ્ટકના સમય દરમિયાન તેમજ ભદ્રાકાળ દરમિયાન ભદ્રાના આ નામોનું સ્મરણ દુખનો અંત લાવે છે.
1 ધાન્યા
2 દધિ મુખી
3 ભદ્રા
4 મહામારી
5 ખરાનના
6 કાલરાત્રિ
7 મહારૂદ્રા
8 વિષ્ટિકરણ
9 કુલપુત્રિકા
10 મહાકાળી
11 ભૈરવી
12 અસુર ક્ષયકારી