પંચમહાલ,
પંચમહાલના ગોધરાના ચંદનબાગ ખાતે બીજેપીના ત્રણ નિરોક્ષકોએ સેન્સ લેવાના શરૂ કર્યા. જીતુભાઇ સુખડીયા,પરાક્રમસિંહ જાડેજા,હેમાલિબેન બોઘાવાલા નિરીક્ષકો તરીકે અગ્રણી કાર્યકર્તાઓ પાસેથી મેળવશે.
પંચમહાલ લોકસભા બેઠક માટે સેન્સ લેવાના શરૂ કરાયા. ગોધરા વિધાનસભા બેઠકના આગેવાનો અને કાર્યકરોના સેન્સ લેવાશે. દિવસ દરમ્યાન અલગ અલગ વિધાનસભા બેઠકો માટે તબક્કાવાર સેન્સ લેવાશે.
હાલ ચાલી રહેલ સેન્સની પ્રક્રિયામાં હાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ,સંભવિત ઉમેદવાર ગણાતા દેવગઢ બારીયાના રાજવી તુષારબાબા અને ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી સહિતના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.