સુરત,
સુરત સંસદીય બેઠક માટેના ઉમેદવારની પસંદગી માટે સુરતના ઉધના ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારો,કાર્યકર્તાઓ અને સમર્થકો સંભાળશે. જ્યાં આ બેઠકને લઈ હાલ નિરીક્ષકોની ટીમ સુરત ઉધના સ્થિત ભાજપા કાર્યાલય ખાતે આવી પહોચી છે.
નિરીક્ષક ટીમના સભ્ય ભરતસિંહ પરમારે જણાવ્યું કે,હાલ અપેક્ષિતો ને સાંભળવામાં આવશે.સાત વિધાનસભા મત વિસ્તારના દાવેદારો અને સમર્થકોને સાંભળી સેન્સ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી ઉતારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈ ત્રણ નિરીક્ષકોની ટીમ આજ રોજ સુરત ખાતે આવી પહોંચી છે.