સુપ્રીમ કોર્ટે, કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય સંભળાવતા જણાવ્યું કે અધ્યક્ષને ધારાસભ્યોનાં રાજીનામા અંગે નિર્ણય લેવો જોઈએ. તે જ સમયે, કોર્ટે એમ પણ કહ્યું કે અધ્યક્ષએ નિર્ણય લેવો જોઇએ કે ધારાસભ્યોનાં રાજીનામા પર કેટલા સમય બાદ નિર્ણય લેવો છે. બીજી તરફ, 15 બળવાખોર ધારાસભ્યોને ગુરુવારમાં યોજાનારા શક્તિ પરીક્ષણમાં જોડાવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં.
આ કિસ્સામાં, અદાલતે વિસ્તૃત સુનાવણીની જરૂરિયાત જણાવી. કોર્ટે એમ પણ કહ્યું કે અધ્યક્ષનો નિર્ણય તેમની સમક્ષ રજૂ કરવામાં આવે. અદાલતે જણાવ્યું હતું કે, રાજીનામાનાં નિર્ણયને કારણે કર્ણાટક વિધાનસભાનાં અધ્યક્ષની સત્તા પ્રભાવિત થવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે અંસતુષ્ટ ધારાસભ્યોનાં રાજીનામા પર અધ્યક્ષનાં નિર્ણયને તેમની સમક્ષ રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણીય સંતુલન જાળવવાની જરૂર છે.
Mukul Rohatgi, representing Karnataka rebel MLAs in Supreme Court: The Court has said that the matter will be fully thrashed out at a later date. pic.twitter.com/WBIQIk0p5y
— ANI (@ANI) July 17, 2019
અગાઉ મંગળવારે, સુપ્રીમ કોર્ટમાં, સુનવણી દરમિયાન બળવાખોર ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી, વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમારની તરફથી અભિષેક મનુ સિંઘવી અને મુખ્યમંત્રી કુમારસ્વામીની તરફથી રાજીવ ધવનએ દલીલ કરી. જ્યા રોહતગીએ કહ્યું કે, સ્પીકર સમક્ષ ધારાસભ્યોની અયોગ્યતા સાબિત થયાની અરજીનું લંબાઇ જવુ, તેમને તેમના રાજીનામા અંગે કોઈ નિર્ણય લેવાથી રોકતા નથી, આ અલગ-અલગ કેસ છે. દસ ધારાસભ્યોએ 10 મી જુલાઈએ રાજીનામું આપ્યું હતું. તેમાથી બે ની વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહી બાકી હતી. આ બંન્નેમાં એક ઉમેશ જાધવ પણ હતા. સ્પીકરએ રાજીનામું સ્વીકારી લીધું, ત્યારે સ્પીકરને આના પર વિરોધ ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
