ભાવનગર,
ભાવનગરના હાદા નગર વિસ્તારમાં આવેલા નાળામાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે, માંલીતી મળી રહી છે કે મોડી રાત્રે વરસાદમાં આધેડ નાળામાં ખાબક્યા હતા. જેના બાદ તેમનું મૃત્યુ થયું હતું.
આપને જણાવી દઈએ કે સવારે નાળા પાસેથી જતા લોકોએ મૃતદેહ જોતા નાળા પાસે દોડી આવ્યા હતા અને પોલીસને મૃતદહે મળ્યો હોવાની જાણ કરી હતી.

ઉલ્લેખીનીય વાત એ છે કે આ મૃતદેહ કોનો છે તેની પુષ્ટી હજુ સુધી થઈ શકી નથી.પરંતુ પોલીસે તેની શોધખોળ કરી રહી છે.
આ ઘટનાની જાણ થતાંની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ હાદાનગર પહોંચી ગઈ હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
