સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે કહ્યું હતું કે ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી, પરંતુ આનો અર્થ એ નથી કે તે પોતાની શક્તિનો ઉપયોગ પોતાની રક્ષા માટે કરવામાં ખચકાશે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિની વિરુદ્ધ સિઓલમાં યોજાયેલી સંરક્ષણ મંત્રણામાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
સિંહે દક્ષિણ કોરિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું કે ‘ભારતનો ઇતિહાસ જોતા તે ક્યારેય હુમલો કરનાર રહ્યો નથી અને ન તો રહેશે. પરંતુ આનો અર્થ એ નથી કે તે પોતાની સુરક્ષા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ટાળી શકશે.


