- જમ્મુ કાશ્મીર ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન
- પાકિસ્તાને પૂંછ જિલ્લામાં કર્યું ફાયરીંગ
- મેધર સેક્ટરમાં પાક તરફથી ફાયરિંગ
- ત્રણ ભારતીય સૈનિકો ઘાયલ
-
સેના દ્વારા જડબાતોડ જવાબયુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરનાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ પેટ્રોલીંગમેનને ઈજા પહોંચી હતી. તેમણે કહ્યું કે, રવિવારની રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પાકિસ્તાની સૈનિકોએ પૂંછ જિલ્લાના મેધર અને બાલાકોટ સેક્ટરમાં નાના હથિયારોથી ફાયરિંગ કરી મોરટાર શેલ ફોડ્યા હતા. અમારા સૈનિકોએ તેને યોગ્ય જવાબ આપ્યો છે. “પાકિસ્તાને આ વર્ષે કોઈપણ ઉશ્કેરણી વિના 2050 થી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં 21 ભારતીયો માર્યા ગયા હતા. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ રવિવારે અહીં જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન દ્વારા કોઈ પણ ઉશ્કેરણી કર્યા વગર વિના યુદ્ધવિરામના ભંગ, સીમા પારથી આતંકવાદી ઘૂસણખોરી અને ભારતીય નાગરિકો અને સરહદ ચોકીઓને નિશાન બનાવ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.”
Not Set/
પાકિસ્તાનો ફરી યુદ્ધવિરામ ભંગ, પૂંછનાં મેધર સેક્ટરમાં ત્રણ સૈનિકો ઘાયલ
જમ્મુ કાશ્મીર ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને પૂંછ જિલ્લામાં કર્યું ફાયરીંગ મેધર સેક્ટરમાં પાક તરફથી ફાયરિંગ ત્રણ ભારતીય સૈનિકો ઘાયલ સેના દ્વારા જડબાતોડ જવાબ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરનાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે […]
