છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભૂકંપના આંચકા નું જોર વધ્યું છે. ગત રવિવારે રાત્રીના સમયે ઉપરાઉપરી ગણતરીની મીનીટોમાં આવેલા બે આંચકાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
તો ફરી એક વાર જામનગરથી ધરતી ધ્રુજી ઉઠી છે. મંગળવારની મધ્યરાત્રી એ રાત્રે 02:02 મિનિટે ફરી આવેલા ભૂકંપના આંચકાથીલોકો ભયભીત થઇ ઉઠ્યા હતા. 2.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ નું કેન્દ્રબિંદુ જામનગરથી 28 કિમી દૂર નોંધાયું હતું. 2 દિવસ પૂર્વે આજ કેન્દ્રબિંદુ આંચકા નોંધાયા હતા. ભૂકંપના આંચાકાથી લોકોમાંભયનું મોજું ફરી વળ્યું હતું. કોઈ જાનહાની થઇ નથી.
ભૂકંપને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને કડકડતી ઠંડી માં પણ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
